નિપુણ ગુજરાત અભિયાન અંતર્ગત બેઝલાઇન સર્વે 2026 – GCERT નો મહત્વપૂર્ણ પરિપત્ર જાહેર
ગુજરાત રાજ્યમાં નિપુણ ગુજરાત અભિયાન અંતર્ગત ધોરણ 5 સુધીના વિદ્યાર્થીઓના
વાંચન, લેખન અને સંખ્યાજ્ઞાન (FLN) કૌશલ્યનું મૂલ્યાંકન કરવા માટે
GCERT દ્વારા બેઝલાઇન સર્વે યોજવામાં આવશે.
આ અંગેનો પરિપત્ર તા. 01 ઓગસ્ટ 2026 ના રોજ જાહેર કરવામાં આવ્યો છે.
*નિપુણ ગુજરાત*
*બેઝલાઈન સર્વેક્ષણ સમીક્ષા ૨૦૨૬ ૨૭*
શૈક્ષણિક વર્ષ ૨૦૨૬ ૨૭ માં *નિપુણ ગુજરાત સર્વેક્ષણ અંતર્ગત બાલવાટિકાથી ધો 5 સુધીના વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરી તેમનું સિદ્ધિ સ્તર (ઉદયમાન-પ્રગતિશીલ-નિપુણ) તે દર્શાવવા માટેની સુવિધા ધરાવતું નિપુણ ગુજરાત પોર્ટલ શરુ કરવામાં આવેલ છે.* આ સાથે *નિપુણ ગુજરાત પોર્ટલ ની link* અને પોર્ટલ પર માહિત અપડેટ કરવા અંગેની *માર્ગદર્શિકા* મોકલી આપેલ છે જે બાલવાટિકાથી ધો 5 સુધીના તમામ શિક્ષકો અને આચાર્યશ્રી સુધી ઉપલબ્ધ થાય અને *નિયત સમય માર્યાદમાં આ કામગીરી પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરશો.*
*નિપુણ ગુજરાત પોર્ટલ link :*https://links.swiftchat.ai/DwB4Yn
https://links.swiftchat.ai/DwB4Yn
https://links.swiftchat.ai/DwB4Yn



મહત્વપૂર્ણ વિગતો
- સર્વે તારીખ:
- 04 ઓગસ્ટ 2026 – ગુજરાતી (વાંચન અને લેખન)
- 05 ઓગસ્ટ 2026 – ગણિત (સંખ્યાજ્ઞાન)
- લાભાર્થી: રાજ્યની તમામ સરકારી અને અનુદાનિત શાળાઓના ધોરણ 5 સુધીના વિદ્યાર્થીઓ.
- હેતુ: વિદ્યાર્થીઓની પ્રારંભિક શૈક્ષણિક સ્થિતિનું મૂલ્યાંકન કરી FLN કૌશલ્યમાં સુધારો લાવવો.
- ખાસ નોંધ: સર્વે દરમિયાન તૃતીય પક્ષ (Third Party Assessment) દ્વારા બાહ્ય મૂલ્યાંકન પણ કરવામાં આવશે.
- ગેરહાજર વિદ્યાર્થી: સર્વેના દિવસે ગેરહાજર રહેલા વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન તેઓ હાજર થાય ત્યારબાદ કરવાની સૂચના આપવામાં આવી છે.
સારાંશ
તમામ જિલ્લા, તાલુકા અને શાળાના અધિકારીઓ તેમજ શિક્ષકોએ GCERT દ્વારા આપવામાં આવેલી માર્ગદર્શિકા મુજબ
બેઝલાઇન સર્વેનું આયોજન કરવાનું રહેશે જેથી વિદ્યાર્થીઓના FLN સ્તરની સાચી માહિતી પ્રાપ્ત થઈ શકે અને
આગામી શૈક્ષણિક આયોજન વધુ અસરકારક રીતે થઈ શકે.